તબીબી સહાય માટે હોસ્પિટલનું દાન | નારાયણ સેવા સંસ્થાન
  • +91-7023509999
  • +91-294 66 22 222
  • info@narayanseva.org
Narayan Seva Sansthan Hospital

દિવ્યાંગો માટે 4 લાખથી વધુ ફ્રી સર્જરી

સફળતાપૂર્વક કરવામાં આવી!

હોસ્પિટલ

આજે પણ દિવ્યાંગ લોકો, ખાસ કરીને સમાજના પછાત વર્ગોમાંથી આવતા લોકો, તેમના રોજિંદા જીવનમાં અસંખ્ય પડકારોનો સામનો કરે છે. સારી આરગ્યસંભાળ જેવી મૂળભૂત સુવિધાઓ પણ તેમના માટે મોટો સંઘર્ષ બની જાય છે, જેની સીધી અસર તેમના વિકાસ પર થાય છે. આપણી મોટાભાગની વસ્તીએ જે પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે તેને ધ્યાનમાં રાખીને, Narayan Seva Sansthan (NGO) એ 1100 બેડની ક્ષમતા ધરાવતી એક હોસ્પિટલ બનાવી છે, જ્યાં દેશના કોઈપણ ખૂણેથી દર્દીઓ તેમની આર્થિક પરિસ્થિતિની ચિંતા કર્યા વગર પોલિયો સંબંધિત સારવાર અને સુધારાત્મક સર્જરી માટે આવી શકે છે.

અમારી હોસ્પિટલને દાતાઓ પાસેથી મળતા દાન દ્વારા અમે દિવ્યાંગ લોકોને યોગ્ય આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરી શકીએ છીએ. હોસ્પિટલમાં તેના પોતાના ICU અને ડાયગ્નોસ્ટિક લેબ છે. હોસ્પિટલને એક અનુભવી તબીબી ટીમ સપોર્ટ કરે  છે. જો તમે પણ અમારી પહેલનો ભાગ બનવા ઇચ્છતા હોવ, તો તમે હોસ્પિટલના કાર્ય અને પ્રોજેક્ટ માટે દાન કરી શકો છો જે અમને અમારા પ્રયત્નો માટે ફંડ એકઠું કરવામાં મદદ કરે છે. હોસ્પિટલ માટેનું નાનું દાન પણ જરૂરિયાતમંદ લોકોને શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડવામાં અમને ઘણી મદદ કરી શકે છે.

આજ સુધીમાં, હોસ્પિટલને મળેલા અનેક દાનના કારણે, અમારી હોસ્પિટલ ભારતમાં લાખો લોકોની સેવા કરવામાં સફળ રહી છે જેઓ માત્ર દિવ્યાંગ જ નથી પરંતુ આપણા સમાજના વંચિત વર્ગોમાંથી પણ આવે છે.

હોસ્પિટલની સિદ્ધિઓ

જ્યારે તમે હોસ્પિટલની પ્રગતિ માટે દાન કરો છો, ત્યારે અમે ખાતરી કરીએ છીએ કે તમને તમારા દાનને કારણે અપાતી સુવિધામાં થતા આશ્ચર્યજનક ફેરફારો વિશેની તમામ માહિતી પ્રાપ્ત થાય. અમારી હોસ્પિટલમાં, અમે દિવ્યાંગોને માત્ર મફતમાં સુધારાત્મક સર્જરી જ કરી આપતા નથી, પરંતુ આર્ટિફીશિયલ અંગો, કેલિપર્સ અને ટ્રાઇસાઇકલ્સ જેવા ઉપકરણોનું વિતરણ કરીને પણ મદદ કરીએ છીએ. નીચેની સૂચિમાં એવા કેટલાક ક્ષેત્રો છે જ્યાં તમારા મૂલ્યવાન દાનથી હોસ્પિટલને મદદ મળી છેઃ

હોસ્પિટલ સુવિધાઓ

ભલે તે તે દિવ્યાંગ વ્યક્તિઓને જીવનમાં નવી આશા આપવા માટે હોય અથવા બાળકની સુધારાત્મક સર્જરી માટે હોય, હોસ્પિટલ માટેનું દાન, નાનું હોય કે મોટું, ઘણા જીવનને વધુ સારા માટે બદલી શકે છે.

છબી ગેલેરી
સામાજિક સુધાર માટેની અમારી પ્રતિબદ્ધતા

દિવ્યાંગ વ્યક્તિઓને સંપૂર્ણ મેડિકલ અને પુનર્વસન સુવિધાઓની સરળ એક્સેસ મળી શકે તે સુનિશ્ચિત કરવા માટે Narayan Seva Sansthan આર્થિક, શારીરિક અને સામાજિક સક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે દયાળુ અને સમાવિષ્ટ સમાજના નિર્માણને પણ પ્રોત્સાહન આપે છે. અમારી કામગીરીના કેન્દ્રમાં અમારી હોસ્પિટલો છે, જે જન્મજાત દિવ્યાંગતા અને પોલિયોથી પીડાતા લોકો માટે આશાથી ભરેલા અભયારણ્યો પ્રદાન કરવા માટે સ્થાપિત કરવામાં આવી છે. સહાનુભૂતિયુક્ત સારવાર અને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળના પર્યાય તરીકે, દેશભરમાંથી દર્દીઓ અમારી હોસ્પિટલોની મુલાકાત લે છે. અમારી હોસ્પિટલોમાં, અમારા દર્દીઓને માત્ર તબીબી સારવાર જ મળતી નથી, પરંતુ તેમની શારીરિક મર્યાદાઓને દૂર કરવાની તક પણ મળે છે, જેથી તેઓ પણ સારું જીવન જીવવાની તક મેળવી શકે. એવા સમયમાં જ્યારે આરોગ્યસંભાળના ખર્ચો ખૂબ વધારે થઈ શકે છે, ખાસ કરીને ગરીબ આર્થિક પરિસ્થિતિમાંથી આવતા લોકો માટે, નિઃ શુલ્ક સુધારાત્મક સર્જરી અને ઉચ્ચ ગુણવત્તાની તબીબી સારવાર પૂરી પાડતા હોસ્પિટલને દાન આપે છે, જે અમારા અડગ વિશ્વાસને દર્શાવે છે કે દરેક વ્યક્તિ, ભલે તે ગમે ત્યાંથી આવે, તેમની જાતિ, ધર્મ અથવા સામાજિક-આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના, ગૌરવપૂર્ણ જીવન જીવવાની તક મળવી જોઈએ. જ્યારે તમે હોસ્પિટલ સુધારણા માટે દાન કરો છો, ત્યારે તમે સમાજની સુધારણા અને જેમને તેની સૌથી વધુ જરૂર છે તેમના જીવનમાં સીધું યોગદાન આપી રહ્યા છો.